Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કાલાવડમાં રામમંદિર નિર્માણ માટે લોકોના સહયોગ

કાલાવડ (શિતળા) : શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર બનાવાની સાથે પ્રત્યેક લોકો પાસે સહયોગ લેવામાં આવી રહેલ છે. તેમાં કાલાવડ માં દાન એકત્ર કરવામાં આવેલ છે જેમાં હિન્દૂસમાજ ,મુસ્લિમ સમાજ,દાઉદી વ્હોરા સમાજ તથા ખોજા સમાજ દ્વારા પણ આર્થીક સહયોગ આપવામાં આવેલ. સહયોગ સમિતિ અભિયાન માં સંયોજક કમલેશ આશરા, વિશ્વ હીન્દુ પૂર્વ મંત્રી હસમુખ વોરા,હિમાંશુ ગોસ્વામી, વીરેન્દ્ર સિંહ જાડેજા, વિમલ મિસ્ત્રી, જેન્તી કમાણી, કિશોર નિમાવત,કમલેશ કડેચા,નરેશ સિંગલ,પરેશ જોશી,સાર્થક સોની સહિત કાર્યકર્તા ઓ જોડાયેલ હતા.

(11:46 am IST)