Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વિજયભાઈ રૂપાણી ભાવનગરમાં સાંજે ૨ સભાઓ ગજવશે : સ્થાનિક સ્વરાજયની ચુંટણીના ­પ્રચારકાર્યના શ્રીગણેશ કરશે

ભારતીબેન શિયાળ, વિભાવરીબેન દવે, જીતુભાઈ વાઘાણી સહિતના ઉપસ્થિત રહેશે

રાજકોટ, તા. ૧ર : સ્થાનિક સ્વરાજની ચૂîટણીના પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે આજથી મુખ્યમîત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ભાવનગર મહાનગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં ­પ્રચારનો શુભારંભ કરાવશે.

મુખ્યમîત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે ભાવનગર મહાનગરપાલિકાની ચૂîટણી અîતર્ગત શહેરના બોરતળાવ અને શિવાજી સર્કલ ખાતે સભાને સîબોધિત કરશે. બોરતળાવ વિસ્તારમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના ૭ વોર્ડનો જયારે શિવાજી સર્કલ વિસ્તારમાî ભાવનગર પૂર્વ વિધાનસભા ક્ષેત્રના ૬ વોર્ડનો સમાવેશ થાય છે.

મુખ્યમîત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ચૂîટણીલક્ષી સભામા સાંસદ ભારતીબેન શિયાળ, રાજયકક્ષાના મત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી કુલ ૧૩ વોર્ડના ભાજપના ઉમેદવારશ્રીઓ, ભાવનગર શહેર ભાજપ ­મુખ રાજીવભાઈ પડ્યા, ભાવનગર શહેર ભાજપના પદાધિકારીઓ હાજર રહેશે.

(1:47 pm IST)