Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજપુત તે સુરેન્દ્ર નગરમાં ભાજપમાં ભંગાણ પાડ્યું

વઢવાણ પાલિકાના ભાજપના ત્રણ પૂર્વ સભ્યોએ 100થી વધુ કાર્યકર્તા સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ગરમાવો રાજપૂત સમાજના ત્રણ આગેવાનોને ભાજપ સાથે છેડો ફાડ્યો : સતવારા, રાજપૂત . ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા

રાજકોટ : કોંગ્રેસના અગ્રણી મહેશભાઈ રાજપૂતે સુરેન્દ્રનગરમાં ભાજપમાં ભંગાણ પાડ્યું છે
વઢવાણ નગર પાલીકાનાં રાજપૂત સમાજના ત્રણ ભાજપનાં પૂર્વ સભ્યો રાયશીગભાઈ ડોડીયા, વિક્રમસિંહ ડોડીયા અને અકિંતસિહ ભટ્ટી ભાજપ સાથે છેડો ફાડ્યો છે અને કૉંગ્રેસનો ખેસ ધારણ કરતા અંતિમ ઘડીએ રાજકારણમા ગરમાવો આવ્યો છે
ત્રણ સુધરાઇ સભ્યો સાથે 100 થી વધુ કાર્યકરો કૉંગ્રેસ જોડતા રાજકીય ભૂકંપ સર્જાયો છે
 આ ત્રણેય સભ્યોને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો આ વેળાએ સતવારા,  રાજપૂત . ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા

(11:39 pm IST)