Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ભેસાણ કોરોના મુકતઃ જૂનાગઢ ગ્રામ્ય અને વંથલી એક-એક કેસ નોંધાયો

સદનસીબે એક પણ મોત નહિઃ ૭૦૧૫ લોકોનું રસીકરણ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૨ :. જૂનાગઢ જિલ્લામાં દૈનિક કોરોના કેસમાં ઘટાડો આવવાની સાથે ફરી ભેસાણ કોરોના મુકત થયુ છે અને જૂનાગઢ ગ્રામ્ય અને વંથલીમાં માત્ર એક એક કેસ નોંધાયો હતો.

૨૪ કલાકમાં જિલ્લામાં જૂનાગઢ સીટીના ૯ સહિત કુલ ૨૯ કેસ નોંધાયા હતા. જેમા ભેસાણમાં એક પણ નવા કેસની એન્ટ્રી થઈ નથી.

બીજી તરફ યમરાજા પણ હાંફી ગયા હોય તેમ ગઈકાલે સદનસીબે એક પણ મૃત્યુ નોંધાયુ ન હતું.

જિલ્લામાં શુક્રવારે જૂનાગઢ શહેરના ૨૧ સહિત જિલ્લામાં કુલ ૬૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

શુક્રવારે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૨૪૩૬ અને ગ્રામ્યમાં ૪૫૭૯ મળી કુલ ૭૦૧૫ લોકોનું રસીકરણ થયુ હતું.

(11:50 am IST)