Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

જૂનાગઢના ગોલાધર ગામે બસ સ્ટેશન પાસે ઓધવજીભાઈ રોજાસરાની થયેલી હત્યામાં પાંચ આરોપીને હથિયાર સાથે પોલીસે ઝડપી લીધા

જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામે બસ સ્ટેન્ડ પાસે ઓધવજી ગગજીભાઈ રોજાસરા કોળી તથા ગોલાધર ગામના સંકટ મોચન હનુમાનજી મંદિરના મહંત હરિદાસ ગુરુ રાઘવદાસજી ને આરોપીઓ પ્રવીણભાઈ વિરાભાઈ મકવાણા, અજય પ્રવીણભાઈ મકવાણા, વિજય પ્રવીણભાઈ મકવાણા, મિલન પ્રવીણભાઈ મકવાણા તથા લાભુબેન પ્રવીણભાઈ મકવાણા એ પાઇપ ધારીયા કુહાડી જેવા હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો. સારવાર દરમિયાન ફરીયાદી ઇજા પામનાર ઓધવજી ગગજીભાઈ રોજાસરા કોળીનું અવસાન થતાં, બનાવ ખૂનમાં પલટાયો હતો..

  આ ગુન્હાના આરોપીઓ (1) પ્રવીણભાઈ વિરાભાઈ મકવાણા, (2) અજય પ્રવીણભાઈ મકવાણા, (3) વિજય પ્રવીણભાઈ મકવાણા, (4) મિલન પ્રવીણભાઈ મકવાણા તથા (5) લાભુબેન પ્રવીણભાઈ મકવાણા રહે. બધા ગોલાધર ગામ તા.જી. જૂનાગઢની ધરપકડ કરવામાં આવેલ છે અને ગુન્હામાં વાપરેલ હથિયારો કબજે કરવામાં આવેલ છે......

 ફરિયાદી ઓધવજી ગગજીભાઈ રોજાસરા ની દીકરી મિતલબેન એ આરોપી વિજય પ્રવીણભાઈ મકવાણા સાથે પ્રેમ લગ્ન કરેલ હોઈ, જેના મનદુઃખ ના કારણે આ બનાવ બનેલ છે. પંદરેક દિવસ પહેલા ફરિયાદી ઓધવજી ગગજીભાઈએ આરોપી પ્રવિણભાઈના દીકરા વિજયને માર મારેલ હોઈ, આ બાબતે પણ આરોપીઓ દ્વારા એટરોસિટી ની ફરિયાદ કરવામાં આવેલ હતી. જેમાં ફરિયાદી અને મરણ જનાર ઓધવજી ગગજીભાઈ રોજાસરાની ધરપકડ પણ કરવામાં આવેલ હતી...

  જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા, હે.કો. નાથાભાઇ, દેવેનભાઈ, જૈતાભાઈ સહિતની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ હતી...

(8:58 pm IST)