Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સુરેન્દ્રનગર-વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કૈલાને કોરોનાઃ અમદાવાદ સારવારમાં

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૨: સુરેન્દ્રનગર વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કૈલાને છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાવ અને શરદી ઉધરસ જેવા લક્ષણો વર્તાતા ત્યારે ગઇકાલે જેમણે પોતાનો રિપોર્ટ કરાવવામાં આવતા ધનરાજભાઇ કૈલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર લેવાની જરૂરિયાત જણાતા જેઓ અમદાવાદ ની થીમ્સ હોસ્પિટલ માં હાલમાં કોરોના ની સારવાર માટે દાખલ થયા છે.

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના તાલુકાઓમાં દિન-પ્રતિદિન કોરોના ના કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મૃત્યુનો આંક પણ વધારે માત્રામાં જણાવવામાં આવ્યું છે જયારે સુરેન્દ્રનગર વઢવાણ ના દરેક સમાજ અને જ્ઞાતિના એક સાચા લોકસેવક તરીકેની છાપ ધરાવતા વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કૈલાને તાવ શરદી-ઉધરસના લક્ષણો જણાવો આના કારણે પોતાને જાતે જ ખબર અને અંદાજ આવી ગયો હતો કે પોતાને કોરોના વાયરસની અસર લાગી ગઈ છે. 

સુરેન્દ્રનગર આ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ દિલીપભાઇ પટેલ અને મહામંત્રી જગદીશભાઈ મકવાણાને પણ કોરોના વાયરસનો ભોગ બન્યા હતા જેમને પણ સારવાર લેવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડને પણ કોરોના વાયરસનો ભોગ બન્યા હતા ત્યારે વળી આજે વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કૈલા પણ કોરોના વાયરસનો ભોગ બન્યા છે ત્યારે રાજકીય લોકોમાં પણ કોરોના વાયરસ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ના વઢવાણના પૂર્વ ધારાસભ્ય આજે સવારના ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પોતાને હાલમાં સામાન્ય લક્ષણો હજુ કોરોના છે પરંતુ સમયસર સારવાર અને કોરોનાવાયરસ ની સારવાર સમયસર મળી જાય તે જરૂરી છે ત્યારે તેમના અસંખ્ય ચાહકો અને પરિવારને ફોન કરી અને તેમના ખબર-અંતર તેમના કાર્યકરો દ્વારા પૂછપરછ કરવામાં આવતી હતી હાલમાં તો ધનરાજભાઇ કૈલા અમદાવાદની થીમ્સ હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઇ રહ્યા છે તેઓ હાલમાં જાણવા મળી રહ્યું છે.(

(11:22 am IST)