Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ક્રુરતા અને અન્યાય કેટલાય શકિતશાળી કેમ ન હોય અંતે તો જીત ભકિતની થાય છે હર હર મહાદેવ કંગના રનૌતએ શ્રી સોમનાથ મહાદેવ દર્શનના સંસ્મરણો વાગોળ્યા

પ્રભાસપાટણ : તસ્વીરમાં કંગના રનૌતના સોમનાથ મહાદેવના દર્શનનો ફાઇલ ફોટો

પ્રભાસપાટણ તા.૧ર : ભારતની જાજરમાન અને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઇ તથા મર્ણીકણીકા ઘાટ જેવી ઐતિહાસિક ફિલ્મોની સુપ્રસિધ્ધ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તેના બંગલાની તોડફોડ અંગે જે વિવાદ ચાલી રહયો છે. તેમાં દરરોજને દરરોજ નવા નામો ઉમેરાતા જાય છે.

આજે સવારે ૭.૩૦ વાગ્યે કંગના રનૌત સોમનાથ મહાદેવ મંદિર પુજાનો ફોટા સાથે વધુ એક પ્રહાર કરતા ટ્વીટ કર્યુ કે

સુપ્રભાત દોસ્તો, આ ફોટો સોમનાથ મંદિરનો છે. સોમનાથને કેટલાય દરિદ્રોને કેટલીય વાર બેરહેમીથી ઉજાડયુ પરંતુ ઇતિહાસ સાક્ષી છે, ક્રુરતા અને અન્યાય કેટલાય શકિતશાળી કેમ ન હોય અંતે જીત ભકિતની થાય છે.

હર હર મહાદેવ

-કંગના રનૌત સોમનાથ મંદિર દર્શન પુજા અભિષેક તા.૧૪-૯-ર૦૧૯ના રોજ આવેલ હતા.

(12:51 pm IST)