Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

દેવભુમી દ્વારકા જીલ્લામાં કોરોનાથીવધુ ર ના મોતઃ નવા ૧૪ પોઝીટીવ કેસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧ર : દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે દ્વારકામાં તથા ખંભાળિયામાં ચાર નવા કોરોના પોઝીટીવ કેસ આવ્યા હતા તથા રાત્રે બીજા આઠ નવા કેસ આવતા ગઇકાલે ચૌદ કેસ થયા હતા. જો કે દ્વારકા જિલ્લામાં સુધારાનું પ્રમાણ વધતા ગઇકાલે ભાણવડમાંથી બે દ્વારકાના ૬ કલ્યાણપુરના મળીને ખંભાળિયાના ૯ સાથે કુલ ૧૮  ડિસ્ચાર્જ થયા હતા.

ખંભાળિયામાં નવાપરામાં રહેતા સોનાગપરા આતીશ હસમુખભાઇ, ચાંદાણી, મસ્જીદ ખંભાળિયામાં રહેતા મંજુલાબેન વેરશીભાઇ ઉ.વઉ૬૦, સ્ટેશન રોડ દ્વારકામાં રહેતા મંગળદાસ ગોકાણી ઉ.પ૭, નવાપરા શે.નં.પમાં ખંભાળિયામાં રહેતા સવેશ કરસનભાઇ કણઝારીયા ઉ.ર૬, નવાપરામાં રહેતા રાહુલ અરવિંદભાઇ ગોકાણી ઉ.૪ર તથા દ્વારકા રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા શાંતિલાલ તુલસીભાઇ થોભાણી ઉ.વ.પ૯ ને કોરોના પોઝીટીવ  થતાં ખંભાળિયા હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે.

ગઇકાલે ખંભાળિયા તથા દ્વારકાની એક એક થઇ બે મહિલાઓમાં જામનગર કોરોના સારવારમાં મોત થયા છે.

(12:53 pm IST)