Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર ૧૭ર દિવસ બાદ ભાવિકો માટે દર્શનના દ્વાર ખુલ્યા

અન્નક્ષેત્ર બંધઃ ઉતારામાં સોશ્યલ ડિસ્ટન્સનો અમલ કરાશે

(મહિપાલ વાઘેલા દ્વારા) બોટાદ તા.૧ર : બોટાદ જીલ્લામાં આવેલ લાખો ભાવિકોના આસ્થા સમાન શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર આજથી ભાવિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

કોરોના અને લોકડાઉનના કારણે ૧૭ર દિવસ બાદ આજે શનીવારે મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઉતારામાં પણ બહારથી આવનારા ભાવિકોને રહેવાની વ્યવસ્થા કરાઇ  છે જો કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવુ પડશે.

હજુ અન્નક્ષેત્ર બંધ રહેશે તેમજ ભાવિકોની વધુ ભીડ એકત્ર ન થાય તેનો ખ્યાલ રાખવામાં આવશે.

(1:03 pm IST)