Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

માળીયાહાટીનાનાં શાંતિપરા ગામનાં વૃધ્‍ધાનું તળાવમાં ડૂબી જવાથી મોત

મૃતક માછલાને લોટ નાંખવા ગયા હતા ને મોત મળ્‍યું

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૧૨: જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના શાંતિપરા ગામના ૭૦ વર્ષીય પ્રભાબેન પ્રેમગીરી મેઘ()નું તળાવમાં ડૂબી જવાથી મોત થયાનું જાણવા મળેલ છે.

મૃતક વૃધ્‍ધા ગુરૂવારે સવારનાં તેમના ગામનાં તળાવમાં માછલાને લોટ નાખવા ગયા હતા આ દરમ્‍યાન તળાવના કાંઠે તેમનો પગ લપસી જતા તેઓ તળાવમાં ખાબક્‍યા હતા.

આ કારણસર તળાવમાં પાણીમાં ડુબી જવાથી પ્રભાબેનનું મૃત્‍યુ નિપજતા તેમના પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(12:45 pm IST)