Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ધોરાજી ઉપલેટા કોટેચા પરીવારનું ચક્ષુદાન

 ધોરાજી : ઉપલેટાના રહેવાસી ચેતનભાઇ દલીચંદ્ર કોટેચાનું અવસાન થતા પરીવારજનોએ ડો. ભાલોડીયા અને જલદીપ મકવાણા દ્વારા ધોરાજી સરકારી હોસ્‍પિટલ ખાતે ડો. જયેશ વસેટીયનને જાણ કરતા મેડીકલ ટીમના યુવાનો સાથે ઉપલેટા ખાતે સ્‍વ. ચેતનભાઇના ચક્ષુઓને માનવ સેવાના કાર્યકર્તાઓને સોંપતા રાજકોટ ખાતે સરકારી જી.ટી. શેઠ હોસ્‍પિટલ ખાતે પહોંચતા કરાયા હતા. આ તકે કોટેચા પરીવાર દ્વારા માનવ સેવા યુવક મંડળ ધોરાજીની સેવાઓને બીરદાવી હતી. સાથે માનવસેવા યુવક મંડળને ૭૮મું ચક્ષુદાન મળેલ હતું. આ તકે માનવ સેવા યુવક મંડળ દ્વારા કોટેચા પરીવારની સેવાઓને બીરદાવી સ્‍વને શ્રધ્‍ધાસુમન અર્પણ કરાયા હતા.

 

(11:07 am IST)