Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ઇશુદાન ગઢવી કદાચ ખંભાળીયાથી પણ લડશે ?

સોમવારે ભગવંત માન ફોર્મ ભરવા આવે તેવી શકયતા

ખંભાળીયા, તા.૧ર : આપના મુખ્‍યમંત્રીના ઉમેદવાર શ્રી ઇશુદાન ગઢવી દ્વારકા સાથે ખંભાળીયાથી પણ ચૂંટણી લડે તેવી શકયતા છે. એક આંતરિક અહેવાલ મુજબ માત્ર ખંભાળીયાથી જ લડે તેવી પૂરી સંભાવના ભાજપ તરફથી મુળુભાઇનું નામ જાહેર થતા ઇશુદાન ગઢવી હવે માત્ર જામખંભાળીયાથી લડે તો પણ નવાઇ નહિ.
દરમિયાન ટોચના વર્તુળોનું માનીએ તો સોમવારે પંજાબના મુ.મંત્રી શ્રી ભગવંત માન કે સંભવતઃ ઇશુદાન ગઢવીનું ફોર્મ ભરાય તે સમયે ઉપસ્‍થિત રહેવા આવી રહ્યા છે. જો કે સત્તાવાર કોઇ જાહેરાત થઇ નથી.

 

(12:09 pm IST)