Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ખંભાળિયા ભાજપે સતવારા સમાજને બદલે આહિર સમાજને ઉતારતા હવે જંગ મોટો થશે

ઇશુદાન ગઢવી અહીં આપમાંથી લડે તેવી સંભાવના

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૧૨ : ભાજપના ઉમેદવારમાં ભારે ગડમથલ ચાલી હતી તથા અહીં સતાવાર ઉમેદવાર હરીભાઇ નકુમ, જામનગરના મેરામણ ભાટુ, મુળુભાઇ બેટા તથા મયુરભાઇ ગઢવીના નામો છેલ્લે ચર્ચામાં હતા. જેમાં ભાજપે મુળુભાઇ બેટાનું નામ નક્કી કરતા અહીં જંગ મોટો થશે.

ભાજપના ઉમેદવારના નામ પછી અહીં આપ ઉમેદવાર જાહેર કરવાનું હોય અહીં ઇશુદાન ગઢવી આવે તેવી પુરી શકયતા છે. મુખ્‍ય સ્‍પર્ધક આહિર જ્ઞાતિઓમાં હોય જંગમાં ત્રીજા ઇત્તર જ્ઞાતિને ફાયદાની અપેક્ષાથી અહીં આપ લડનાર હોવાનું કહેવાય છે. તો અહીં સતવારા જ્ઞાતિને ટીકીટના મળતા તેવો નારાજગી ભાજપ દ્વારા કેટલી શાંત થઇ શકે અને પોતાના ઉમેદવાર તરફ વાળી શકે તે પણ મહત્‍વનું પરિબળ ગણાશે.

મુળુભાઇ બેરા ખંભાળિયા બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના મેરામણ ગોટીયા સામે નજીવી સરસાઇથી ગયેલા છે તથા અગાઉ મુળુભાઇ બેરા ભાણવડ સીટ પર વિક્રમ માડમ સામે હારી ગયેલા છે. પણ ખંભાળિયા બેઠક પર વિક્રમ ભાઇ અને મુળુભાઇનો સીધો જંગ પ્રથમ છે જે ત્રિપાંખિયો થવા પુરી સંભાવના છે અને કયા મતો કયાં જશે તે નિર્ણાયક થશે.

(4:31 pm IST)