Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

જુનાગઢ : દિવંગત PSI જેશીંગભાઈ જોગદીયાના આકસ્મિક નિધનથી જોગદીયા પરિવારને અર્પણ " ફાઉન્ડેશન જૂનાગઢ દવારા સહયોગ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૨

દિવંગત PSI જેશીંગભાઈ જોગદીયાના આકસ્મિક નિધનથી જોગદીયા પરિવારને સહયોગ કરવા " અર્પણ " ફાઉન્ડેશન જૂનાગઢ દવારા સમાજના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ,અને સમાજશ્રેષ્ઠીઓ પાસે ટહેલ નાંખવામા આવી હતી.       જેને સમાજે સંવેદનાપૂર્વક ઝીલી લઈ ગ્રૂપમા શેર કરેલ યાદી મુજબ રૂ.5,94431 ની સહયોગ રાશી એકત્ર થયેલ હતી. આ રકમમાંથી જશીંગભાઈની ત્રણેય દિકરીઓના નામે LIC ગેરેન્ટેડ મ્યુ. ફંડમા એક દિકરીદીઠ રૂ.1,60000 એમ ત્રણના નામે કુલ.રૂ 4,80000 જમા કરવા પેપર્સ તૈયાર  કરવામા આવ્યા, અને જોગદીયા પરિવારને રોકડા રૂ. 50000 એમ કુલ રૂ.5,30000 /- ( રૂપિયા પાંચ લાખ,ત્રીસ હજાર) તા.11/11/2022ના રોજ દિવંગતના શ્રધ્ધાંજલી કાર્યક્રમમા છેલણા ગામે રૂબરૂ જઈ સંગઠનના પ્રમુખ જે.કે.ચાવડા,મેને.ટ્રસ્ટી શ્રી જીતુભાઈ મણવર, સંગઠન મંત્રી સર્વ શ્રી અમ્રૂતભાઈ  સોલંકી,આર.ડી.પરમાર,પ્રકાશભાઈ વાણવી,PSI પ્રવિણાબેન સાંખટ અમરેલી દ્રારા અર્પણ  કરવામા આવ્યા.રૂ.60431 આવકમા છે.

 

(3:06 pm IST)