Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી તાલુકા દ્વારા રામધુન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

મોરબી :ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા દ્વારા શ્રદ્ધાંજલિ ભાગરૂપે રામધુન ભજનનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું

મોરબીમાં 30 ઓક્ટોબર ને રવિવારે બનેલી દુઃખદ ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો છે આ દુખદ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે ત્યારે મૃતકોનાં આત્માને શાંતિ મળે એ હેતુથી મોરબી માળીયા ફાટક પાસે વેલનાથ ધામ ખાતે રામધૂન ભજન રાખવામાં આવ્યા હતા અને 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

(10:44 pm IST)