Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ધ્રાંગધ્રાના મુસ્‍લિમ યુવાનો દ્વારા રામમંદિર માટે ફંડ

વઢવાણ : અયોધ્‍યામાં રામમંદિર બનવા જઇ રહ્યુ છે ત્‍યારે સમગ્ર દેશમાંથી લોકો ફંડ આપે છે. તે માટે મુસ્‍લિમ સમાજના લોકો પણ આગળ આવ્‍યા છે. ધ્રાંગધ્રા મુસ્‍લિમ સમાજના યુવાનો પણ આ મંદિર બનાવવા માટે પોતાનો ફાળો આપી રહ્યા છે. આ મંદિર બનાવવા માટે પરિષદના લોકો સ્‍વેૈચ્‍છિક ફંડ લોકો પાસે લઇ રહ્યા છે. ત્‍યારે રફીકભાઇ ચૌહાણની આગેવાનીમાં મુસ્‍લિમ યુવાનો દ્વારા રામમંદિરના નિર્માણ માટે ૧૧ હજાર ફંડ આપવામાં આવ્‍યુ હતુ.

 

(10:50 am IST)