Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

વવાણીયામાં આયોજિત પાટોત્સવમાં મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખને પધારવા આમંત્રણ પાઠવ્યું.

આગેવાનોએ રૂબરૂ મળીને બંને મહાનુભાવોને આમંત્રિત કર્યા.

મોરબી : માળિયા તાલુકાના વવાણીયા ગામમાં આવેલ પ્રસિદ્ધ રામબાઈમાં ની જગ્યા ખાતે તા. ૧૭ ના રોજ પાટોત્સવનું આયોજન કરેલ છે જે પાટોત્સવ ઉપરાંત નવનિર્મિત ભોજનાલય, સભાખંડ અને ગૌશાળાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે
જે કાર્યક્રમમાં પધારવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવ્યું હતું આહીર સમજ અગ્રણીઓ ઉગાભાઇ રાઠોડ, જેઠાભાઈ મિયાત્રા, જીલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઈ હુંબલ સહિતના અગ્રણીઓએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને સાથે રાખી મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષને આમંત્રિત કર્યા હતા જેનો સ્વીકાર કરી કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે તેમ પણ જણાવ્યું હતું.

(10:50 am IST)