Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

મોરબીમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણદળોમાં જોડાવા નિવાસી તાલીમ વર્ગ

મોરબી તા.૧૩ : રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા સંરક્ષણ દળો આર્મી, નેવી, એરફોર્સ, અર્ધ લશ્‍કરી દળોમાં જોડાવા માંગતા યુવાનો માટે એક માસના રહેવા-જમવાની નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થા સાથેના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરાયુ છે જેમાં શારીરીક ક્ષમતા અને લેખિત પરીક્ષાની તાલીમ અપાશે. તાલીમ લેવા બદલ ઉમેદવારોને સ્‍ટાઇપેન્‍ડ ચુકવાશે.

તાલીમ વર્ગમાં ઓછામાં ઓછી ધો.૧૦ પાસની લાયકાત ધરાવતા અને ઉમંર ટેમેન માટે ૧૭ વર્ષ ૬ માસથી ર૦ વર્ષ, ટેકનીકલ અને કલાર્ક માટે ૧૭ વર્ષ ૬ માસથી રર વર્ષ સુધીની ઉંમર ધરાવતા દિવ્‍યાંગો અને બહેનો સિવાયના ઉમેદવારો પ્રવેશ મેળવી શકશે આ માટે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, બેન્‍ક પાસબુકની વિગત પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધાર કાર્ડની નકલ સાથે રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં.ર૧પ, સો-ઓરડી વિસ્‍તાર ખાતે અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે કોલ સેન્‍ટર નં.૬૩પ૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જણાવાયું છ.ે

(11:10 am IST)