Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

પૂ. મુકતાનંદબાપુના પ્રાગટય દિને જુનાગઢમાં મંગળવારે રકતદાન કેમ્‍પ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :.. ભારત સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદબાપુના ૬૪માં પ્રાગટયદિને તા. ૧૭ ને મંગળવારે સાંજે પ વાગે શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરાયું છે.

રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ તથા સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આ કેમ્‍પમાં જોડાવા લોકોને જણાવાયું છે. સંપર્ક મો. ૭૦૯૬૦ ૦રપ૩૪, મો. ૯૭ર૪૭ ૪પ૮૪૩, ૯૮૯૮૯ ૩૯૪૬પ, મો. ૯૭૧૪૧ ૧૩ર૧ર પર કરવા જણાવાયું છે.

પૂ. મુકતાનંદબાપુ દ્વારા આરોગ્‍ય, શિક્ષણ ઉપરાંત કુદરતી આપતી, જીવકલ્‍યાણ, પ્રકૃતિ રક્ષણ, ગૌ-સ્‍ેવા, અનાથાલય, વૃધ્‍ધાશ્રમ જેવી અનેક સેવાપ્રવૃતિ માનવ કલ્‍યાણ માટે અવિરત ચાલુ જ રહે છે. દિશા દર્શનમાં આરોગ્‍ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્‍વની સેવાનો લાભ જરૂરીયાત મંદોને વિશેષ પ્રાપ્ત થયો છે.

(11:12 am IST)