Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

કેશોદના અજાબ ગામ પાસે બે બાઇક વચ્‍ચે અકસ્‍માતમાં શેરગઢના જયાબેનનું મોત

પતિના બાઇક પાછળ બેસી વંથલીના ખોખરડાથી અજાબ ગામે જતી વખતે બનાવઃ મહિલાએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા.૧૩: કેશોદના અજાબ નજીક બે બાઇક વચ્‍ચે અકસ્‍માત થતા શેરગઢ ગામની મહિલાનું રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ શેરગઢ ગામમાં રહેતા જયાબેન નાથાભાઇ મકવાણા (ઉ.વ.૫૦) ગઇકાલે પતિના બાઇક પાછળ બેસીને વંથલીના ખોખરડા ગામે રહેતા ફઇના દીકરાની ખબર કાઢવા માટે ગયા હતા. ખબર કાઢી બંને પરત આવતા હતા ત્‍યારે અજાબ ગામ નજીક પહોંચતા એક અજાણ્‍યા બાઇકના ચાલકે પૂરઝડપે આવી ઠોકર મારતા નાથભાઇ અને તેના પત્‍ની જયાબેન ફંગોળાઇ ગયા હતા. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ જયાબેનને કેશોદ, જુનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતકના પતિ નાથાભાઇ મજુરીકામ કરે છે. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. આ અંગે કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:25 pm IST)