Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ધો.૧૨ સાયન્‍સના પરિણામમાં મોરબી જિલ્લો ૮૫.૩૬% સાથે રાજ્‍યમાં દ્વિતીય

મોરબી,તા. ૧૩: ધોરણ ૧૨ સાયન્‍સનું આ વર્ષે ૭૨.૨ ટકા પરિણામ આવ્‍યુંછે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું૮૫.૭૮ ટકા જયારે સૌથી ઓછુંપરિણામ દાહોદ જિલ્લાનું૪૦.૧૯ ટકા પરિણામ આવ્‍યુંછે. જેમાંમોરબી જિલ્લાની વાત કરીએ તો ૮૫.૩૬% રાજયમાંદ્રિતીય ક્રમ હાંસલ કર્યો છે. જયાંકુલ ૧૪૪૮ જેટલા છાત્રો એ પરીક્ષા આપી હતી.

શહેરમાં૯૨૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૭૬૦ છાત્રો પાસ થતા શહેરનુંપરિણામ ૮૨.૩૪% છે. જયારે હળવદમાં૩૭૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૪૧ છાત્રો પાસ થતા શહેરનુંપરિણામ ૯૦.૪૫% છે.ᅠ જયારે વાંકાનેરમાં૧૪૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૩૫ છાત્રો પાસ થતા શહેરનુંપરિણામ ૯૧.૨૨% છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્‍સનુંપરિણામ આજે સવારે ૧૦.૦૦ વાગ્‍યે જાહેર કરવામાંઆવ્‍યુંછે. આ સાથે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટનું(GUJCET-2022) પણ પરિણામ આજે જાહેર કરવામાંઆવ્‍યુંછે. પાછલા બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી. જોકે, ચાલુ શૈક્ષણિક વર્ષમાંકોરોના કાબૂમાંઆવતા નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાઓ યોજવામાંઆવી હતી. આ પરીક્ષામાંરાજયભરના ૧.૦૮ લાખ વિદ્યાર્થીઓએ આપી હતી.

૧૮ એપ્રિલે લેવાયેલી ગુજકેટ-૨૦૨૨ની પરીક્ષાના ગણિત(૦૫૦), કેમિસ્‍ટ્રી(૦૫૨), ફિઝિક્‍સ(૦૫૪), બાયોલોજી(૦૫૬) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર ૧થી ૨૦ માટે ગુજરાતી, હિન્‍દી અને અંગ્રેજી માધ્‍યમની પ્રોવિઝનલ આન્‍સર-કી ૨૮ એપ્રિલ, ૨૦૨૨ના રોજ જાહેર કરવામાંઆવી હતી આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્‍સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાંઆવી છે.

(1:06 pm IST)