Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ગોંડલમાં નોમના દિવસે વધુ નવ કોરોના પોઝિટિવ કેસ નોંધાવા ની સાથે એકનું મોત

ગોંડલ : ગોંડલ શહેર પંથકમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે ત્યારે આજે નોમ દિવસે નવ કેસ નોંધાવા ની સાથે શહેરના પુનિત નગર તુલસી ટાવર ખાતે રહેતા ગોકળભાઈ માધાભાઈ કાથરોટીયા ઉંમર વર્ષ 84 નું મોત નિપજતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગોંડલમાં કોરોના નો આકડો 325 પર પહોંચ્યો છે જ્યારે 163 દર્દીઓને સારવાર લઈ રજા મેળવી ચુક્યા છે , 135 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે મૃત્યુનો આંક 28 પર પહોંચ્યો છે.

(6:41 pm IST)