Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વાત્‍સલ્‍ય ધામ-અનાથ આશ્રમની શ્રી નવ-અપૂર્વ-અમર કૃપાપાત્ર બંધુ ત્રિપુટીએ મુલાકાત લીધી

અમરેલીઃ  સૌરાષ્‍ટ્રના વતનના રતન, સુરત સ્‍થિત આંતરરાષ્‍ટ્રીય હિરાઉદ્યોગપતિ, કેળવણીકાર તથા વતન અમરેલી મુકામે આવેલ શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, શાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડ જનરલ હોસ્‍પિટલ, શાંતાબા એન્‍જિનિયરિંગ કોલેજ તથા વિદ્યાસભાના સ્‍થાપક તથા વાત્‍સલ્‍યધામ-અનાથ આશ્રમ-સુરતના સંચાલક વસંતભાઈ ગજેરા દ્વારા સ્‍થાપિત તથા સંચાલિત વાત્‍સલ્‍યધામની શ્રી-નવ-અપૂર્વ-અમર કૃપાપાત્ર બંધુ ત્રિપુટીએ મુલાકાત લઈને વાત્‍સલ્‍યધામના આઠસો  બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. મુલાકાત તથા વાર્તાલાપ પ્રારંભે મુનિરાજ આગમરત્‍ન સાગરજી મહારાજ, શ્રી પ્રશમરત્‍ન સાગરજી મહારાજ, તથા વજરત્‍ન સાગરજી મહારાજ બંઘુ ત્રિપુટીનું વાત્‍સલ્‍યધામમાં શબ્‍દોથી સ્‍વાગત સ્‍થાપક તથા સંચાલક વસંતભાઈ ગજેરાએ કર્યુ હતું. આ પ્રસંગે વાત્‍સલ્‍યધામના બાળકોને શ્રી-નવ-અપુર્વ-અમર-કૃપાપાત્ર બંધુ ત્રિપુટીએ આર્શિવાદ આપતા જણાવ્‍યું હતુ કે સેવાપુરૂષ વસંતભાઈ ગજેરા દ્વારા એક-રૂપિયો પણ ફાળો લીધા વગર વાત્‍સલ્‍યધામના આઠસો અનાથ બાળકોને શિક્ષિત-દિક્ષિત કરવાનું પવિત્ર સેવાકાર્ય કરવામાં આવે છે. આ પ્રસંગે વાત્‍સલ્‍યધામના ડાયરેકટર, સ્‍કુલના પ્રિન્‍સિપાલ, શિક્ષકો તથા આઠસો બાળકો ઉપસ્‍થિત રહયાં હતા.

(1:37 pm IST)