Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ચોમાસુ સત્ર દરમ્યાન સંસદસભ્ય પૂનમબેન દિલ્હીમાં

જામનગર-ખંભાળીયા કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે

જામનગર, તા. ૧૪ : ૧૪મી સપ્ટેમ્બર-ર૦ર૦થી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્યશ્રી પૂનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે. તા. ૧૪ થી તા. ૧-૧૦-ર૦ર૦ સુધી ચોમાસુ સત્ર દરમ્યાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા ખાતે સંસદસભ્યશ્રીના કાર્યાલય સવારે ૯-૩૦થી રાત્રે ૮-૩૦ સુધી રાબેતા મુજબ નિયમિત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન ૦ર૮૮-ર૬૭૬૬૮૮, ર૬૭૦૧૦૦, ખંભાળીયા કાર્યાલય : પોસ્ટ ઓફીસ રોડ (ફોન-૦૮ર૩૩-ર૩૩૩૮૮)નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

(9:49 am IST)