Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મોરબી જીલ્લામાં વધુ ૧૫ કેસ

મોરબી,તા.૧૪: મોરબી જીલ્લા કોરોનાના કેસનો આંક સતત વધી રહ્યો છે જેને પગલે મોરબીવાસીઓની ચિંતામાં વધારો થયો છે જેમાં મોરબી રવિવારે જીલ્લામાં ૧૫ કેસ પોઝીટીવ નોધાયા હતા ૨૪ દર્દીઓએ કોરોનાનાએ મહાત આપી હતી.

મોરબી જીલ્લામાં રવિવારેના દિવસે આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૪૧૩ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમા મોરબી સીટીમાં ૦૫ લોકો, મોરબી ગ્રામ્યમાં ૦૨ વ્યકિતઓ,વાંકાનેર સીટી ૦૪વ્યકિતઓ, વાંકાનેર ગ્રામ્યમાં ૦૧ વ્યકિત, હળવદ ગ્રામ્યમાં ૨ વ્યકિતઓ અને ઙ્ગમાળીયા ગ્રામ્ય ૧ વ્યકિત કોરોના સંકિમત થયા હતા તો વધુ ૨૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

મોરબી જીલ્લામાં કુલ કેસનો આંક ૧૩૦૧ પર પહોચ્યો છે જેમાંથી ૯૮૧ દર્દીઓ કોરોનાને મહાત આપી ચુકયા છે તો ૧૬ દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ નીપજયા છે અને ૨૫૬ દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે.

(12:02 pm IST)