Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રિબડા પાસે અકસ્માતમાં ગરનાળા ગામની આશાવર્કરનું મોત

અજાણ્યા કારે બાઈક સવાર પતિ-પત્નીને હડફેટે લેતા પત્નીનું ઘટના સ્થળે મોત

રાજકોટઃ ગોંડલ નેશનલ હાઈવે પર શાપરથી ગરનાળા જવા માટે જતા ગોંડલ તાલુકાના ગરનાળા ગામના રહેવાસી બાઈક ચાલક પીતાબરભાઈ નિમાવત ગરનાળા ગામમાં મંદિરના પૂજારી છે અને તેમના પત્ની કૈલાસબેન નિમાવત ગરનાળા ગામની આંગણવાડીમાં આશાવર્કર છે. આ દંપતી શાપરથી ગોંડલ તરફ આવતા હતા, એ દરમિયાન રીબડા SGVP સ્કૂલ પાસે અજાણ્યા કાર ચાલકે ઠોકર મારતા કૈલાસબેન નિમાવતનું ઘટના સ્થળે મોત થયુ હતું અને તેમના પતિ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ગોંડલ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

(10:22 pm IST)