Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કચ્છના નલિયાના મેખાણ તળાવમાં ચાર બાળાઓ નાહવા પડતા ડૂબી : ૩ નો બચાવ :નલિયા જુથ ગ્રામ પંચાયતના સદસ્યની પૌત્રીનુ મોત

ભુજ:::કચ્છના નલિયાના તળાવમાં ચાર બાળકી ડુબી જતાં દોડધામ મચી ગઇ હતી આ દુર્ઘટનામા ૩ બાળકીનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક ૭ વર્ષની બાળકીનું મોત થયું હતું.

નલિયા ના મેખાણ તળાવ માં નાહવા માટે ગયેલ ચાર બાળકીઓ માંથી ત્રણ બાળકીઓ નો આબાદ બચાવ એક બાળકી પાણીમાં ઉંડે સુધી ગરકાવ થઈ જતાં મુત્યુ થયું હતું.

મુત્યુ પામનાર બાળકી અલવિના સુલતાનભાઈ કુંભાર ઉ. વર્ષ. ૭. છે તે બાળકી નલિયા જુથ ગ્રામ પંચાયત ના સદસ્ય  જુણસભાઈ કુંભાર ની પૌત્રી થાય છે.

(7:10 pm IST)