Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જામકંડોરણાના કાર્યકરો - હોદ્દેદારો દ્વારા મનસુખભાઇ ખાચરીયાનું સન્માન

જામકંડોરણા : જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે રહી ચૂકેલા તેમજ ભારતીય જનતા પાર્ટીમાં અનેક જવાબદારીઓ નિભાવી ચુકેલ ભાજપના પાયાના કાર્યકર મનસુખભાઇ ખાચરીયાની રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી થતાં જામકંડોરણાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, તાલુકા ભાજપ મહામંત્રી સુરેશભાઇ રાણપરીયા, પૂર્વ મહામંત્રી મનસુખભાઇ બાલધા, નિતીનભાઇ પાદરીયા, જશાપરના નવનીતભાઇ ચોવટીયાએ જેતપુર ખાતે નવનિયુકત પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:37 am IST)