Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જામનગર જીલ્લામાં ૪ અપમૃત્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪: જામનગર અને જીલ્લામાં અપમૃત્યુના ૪ બનાવ બન્યા છે. સચાણા ગામે રહેતા મહેબુબભાઈ કરીમભાઈ જગા(કકલ), ઉ.વ.રપ, એ પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૩–૧૧–ર૦ર૦ના મરણજનાર સાદિક કરીમભાઈ જગા (કકલ), ઉ.વ.રર, રે. શેરે રજા ચોક, સચાણા ગામવાળા કોઈ પણ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને પોતે પોતાના હાથે દોરી વડે લોખંડના એંગલમાં ગળાફાંસો  ખાઈ લેતા મરણ થયેલ છે.

 

અગાસી પરથી પગ લપસી જતા વૃઘ્ધનું મોત

જામનગર : અહીં રાવાળવાસ, એરફોર્સ રોડ ઉપર રહેતા જીતેન્દ્રભાઈ જેન્તીભાઈ ગોહીલ, ઉ.વ.ર૦ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૩–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર જેન્તીભાઈ હીરાભાઈ ગોહીલ, ઉ.વ.પ૦, રે. વુલનમીલ  ખેતીવાડી સામે, એરફોર્સ રોડ, રાવળવાસ, જામનગરવાળાનો અગાસી ઉપરથી પગ લપસી જતા નીચે પડી જતા માથાના ભાગે ઈજા થતા સારવારમાં જી.જી.હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

બેભાન થઈ જતા વૃઘ્ધનું મોત

અહીં ગોકુલનગર, મથુરા સોસાયટી, રાધેકિષ્ના મંદિર પાસે રહેતા રવીરાજસિંહ મહેન્દ્રસિંહ વાળા, ઉ.વ.ર૩, એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૩–૧૧–ર૦ર૦ના પાણખાણના નાકે સરકારી સ્કુલની બાજુની ગલીમાં આ કામે મરણજનાર મહેન્દ્રસિંહ નવલસિંહ વાળા, ઉ.વ.પર, રે. ગોકુલનગર, મથુરા સોસાયટી, રાધેકિષ્ના મંદિર પાસે, જામનગરવાળા કોઈપણ કારણસર બેભાન થઈ જતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં લાવતા ફરજ પરના ડોકટરોએ તપાસી મરણ થયાનું જાહેર કરેલ છે.

ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી

લાલપુર તાલુકાના પડાણા ગામે રહેતા દેવજીભાઈ દેવશીભાઈ ચુણીયા ઉ.વ. ૭પ એ મેઘપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧ર ના રોજ પડાણા ગામ મહાજન વાડીની બાજુમાં આ કામેના આરોપી રાજુભાઈ દેવાભાઈ સોંદરવા એફરીયાદીને આજથી બે વર્ષ પહેલા સામાવાળાના ઘરે જતા તેની સાથે બોલાચાલી થયેલ હોય તેનો ખાર રાખી આરોપીએ લાકડાના ધોકા વડે ફરીયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

 જામજોધપુરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. દિલીપસિંહ વાઘુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૧–ર૦ર૦ના ચકલા ચોક પાસે, આ કામના આરોપીઓ ગોવિંદભાઈ બચુભાઈ સોલંકી, અમીતભાઈ પુનાભાઈ ડાભી, પ્રવિણભાઈ મોહનભાઈ ડાભી, જેન્તીભાઈ મોહનભાઈ ડાભી, રે. જામજોધપુરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રૂ.૧૭૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કિડની ફેઈલ થઈ જતા યુવાનનું મોત

અહીં મહવારીનગર બ્રહ્મ સમાજની વાડી શેરી નં.–૧ માં રહેતા પ્રકાશભાઈ મોહનભાઈ નાઘેરાએ ઉ.વ.૩૭ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૩–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર રાજુભાઈ મોહનભાઈ નાઘેરા, ઉ.વ.૪૦, રે. શંકરટેકરી વલ્લભનગર, વાલ્મીકીવાસ, જામનગરવાળા છેલ્લા ૧૦ થી ૧ર દિવસ હોસ્પિટલમાં દાખલ હતા. જેઓની તેમની કિડની ફેઈલ થઈ ગયેલ હતી તેની સારવાર ચાલુ હતી અને વારંવાર પેટમાં પાણી ભરાય જતુ હતું તેઓને આ બીમારી સબબ મરણ થયેલ છે.

(12:24 pm IST)