Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ગિરનાર અંબાજી મંદિરે મુખ્‍યમંત્રી વિજયભાઇના સ્‍વાસ્‍થ્‍ય માટે પ્રાર્થના

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૫: જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન જગત જનનીમાં અંબે માતાજીના શ્રી મહંત મોટા પીર બાવાશ્રી તનસુખગીરી બાપુએ ગુજરાતના યશસ્‍વીમુખ્‍ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સ્‍વાસ્‍થ્‍ય માટે માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી વિજયભાઇ ગઇ કાલે વડોદરા ખાતેની એક સભામાં બ્‍લડપ્રેશર લો થઇજતા નાદુરસ્‍ત તબિયતની હોસ્‍પિટલ લઇ જવાયા હતા. ત્‍યારે તેમની તબિયત સુધારા ઉપર હોય માતાજીને પ્રાર્થના કરી વિજયભાઇનાં અંબે માં કુળદેવી થતા હોય બાપુએ માતાજીની પુજામાં પ્રાર્થના કરી સુભાષિશ પાઠવ્‍યા હતા.

 

(12:51 pm IST)