Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જામનગરમાં ભુગર્ભ ગટર કામનું નિરિક્ષણ

 જામનગર : શહેર સતત વિકસી રહ્યું છે. નવા નવા વિસ્‍તારોનો શહેરમાં સમાવેશ થતા એ વિસ્‍તારોમાં રોડ, શેરીઓમાં વિજળી, ભૂગર્ભ ગટર અને સ્‍વચ્‍છતાની વ્‍યવસ્‍થાઓ પણ નિર્મિત કરવામાં આવી રહી છે ત્‍યારે વોર્ડ નં ૧૧માં આવેલ શ્‍યામ ટાઉન વિસ્‍તારમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ ભૂગર્ભ ગટરના ચાલી રહેલ કામની સ્‍થળ પર સમીક્ષા કરી હતી. આ તકે મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્‍યુટી મેયરશ્રી તપનભાઇ પરમાર, સ્‍ટેંડિંગ કમીટી ચેરમેન મનીષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા, મહામંત્રીશ્રી વિજયસિંહ જેઠવા, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર તરૂણાબેન પરમાર, હર્ષાબેન વિરસોડીયા, જય નલિયાપરા, પ્રવિણભાઇ પરમાર, રમેશભાઇ ગોહિલ, નારણભાઇ રામાવત, પૂર્વ પ્રમુખ તુલસીભાઇ નકુમ અને વિસ્‍તારના અન્‍ય અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્‍થિત રહ્યાં હતા.

(10:45 am IST)