Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ભાવનગર માં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪ દર્દી થયાં કોરોનામુક્ત : જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૧૧ કેસો પૈકી માત્ર ૧૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેધના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા. ૧૬  :  ભાવનગર જિલ્લામા આજરોજ ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૧૧ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૨ પુરૂષ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩ અને તાલુકાઓમાં ૧ કેસ મળી કુલ ૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૧૧ કેસ પૈકી હાલ ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:08 pm IST)