Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જુનાગઢ જિલ્લાનાં સાત પીએસઆઇની બદલીઃ પી. જે. બોદર ટ્રાફિકમાં મુકાયા

વહીવટી સરળતા માટે એસપીએ બદલી કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬: જુનાગઢ જિલ્લાનાં સાત પી.એસ.આઇ.ની બદલી કરવામાં આવી છે.

જુનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીએ સાત પીએસઆઇની વહીવટી સરળતા માટે જાહેર હિતમાં બદલી કરી હોવાનું જાણવા મળેલ છે.

જેમાં માળીયા હાટીનાનાં પીએસઆઇ એન. વી. આંબલીયાને લીવીરીઝર્વ અને તેમની જગ્યાએ લીવ રીઝર્વ પીએસઆઇ એ. બી. દત્તાને મુકવામાં આવ્યા છે.

જુનાગઢ શહેર ટ્રાફિકનાં એસ. એન. સોનારાની લીવ રીઝર્વ કેશોદ ખાતે બદલી કરી જુનાગઢ શહેર ટ્રાફિકનો કાર્યભાર લીવ રીઝર્વ પી.એસ.આઇ. પી. જે. બોદરને સોંપવામાં આવ્યો છે.

લીવ રીઝર્વ એસ. એન. ક્ષત્રિયની વંથલી પોલીસ સ્ટેશનમાં અને વંથલીના બી. કે. ચાવડાની લીવ રીઝર્વમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

આ સાથે લીવ રીઝર્વ ડી. કે. શીંગરખીયાને એટેચ વંથલી પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

(11:41 am IST)