Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ખંભાળીયાના ખામનાથ મહાદેવ મંદિરે શીવ પરિવારની ઘી મહાપૂજા દર્શન

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયા તા. ૧૬ : ઘી ની મહાપૂજા માટે પ્રસિધ્‍ધ શ્રી ખામનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસની પૂનમના શીવ પરિવારના દર્શન સાથે ઘી ની મહાપૂજા યોજાઇ હતી.

ફૂલોની શણગારેલી શિવલિંગની બાજુમાં શુધ્‍ધ ઘીથી બનાવાયેલ  શંકર, પાર્વતી, ગણેશ તથા કાર્તિકેયની કલાત્‍મક મૂર્તિઓ સાથે ઘીની મહાપૂજા - આરતી પણ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો દર્શન માટે ઉમટયા હતા. સોશ્‍યલ મિડીયાના માધ્‍યમથી આ દર્શનનો લાભ દેશ વિદેશમાં વસતા ધર્મપ્રેમી લોકોએ પણ લીધો હતો.

(12:35 pm IST)