Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જાફરાબાદની વધુ એક બોટ સંપર્કવિહોણી : 7 ખલાસીઓ બોટમાં : ચિંતાનો માહોલ

કોસ્ટગાર્ડ દ્વારા દીવ નવાબંદર મધદરિયામાં શોધખોળ

અમરેલીના જાફરાબાદની વધુ એક બોટ સંપર્ક વિહોણી બની છે. મળેલી માહિતી અનુસાર આ બોટમાં 7 ખલાસી છે. 7 ખલાસી સાથેની બોટ સંપર્કવિહોણી થતા ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. સંપર્કવિહોણી થયેલી આ બોટનું નામ છે અશ્વિની સાગર. ખલાસી સહીત બોટ સંપર્કવિહોણી થતા માછીમારો ચિંતામાં આવી ગયા છે. હવે કોસ્ટગાર્ડ દ્વારા દીવ નવાબંદર મધદરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે.

 ઘણા દિવસથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને એ પ્રમાણે ખુબ માત્રામાં વરસાદ પડી રહ્યો છે. આગાહી સાથે ઘણા વિસ્તારોમાં દરિયો ના ખેડવાની પણ સૂચના આપવામાં આવી હતી. અશ્વિની સાગર નામની બોટ લાપતા હોવાથી માછીમારો ચિંતામાં આવી ગયા છે. હવે સંપર્કવિહોણી બનેલી આ બોટની કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી છે. દીવ નવાબંદર મધદરિયામાં શોધખોળ શરૂ કરાઈ.

(9:53 pm IST)