Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

પોરબંદરમાં મેગા નેત્ર નિદાન કેમ્‍પઃ ૫૮ દર્દીઓને નેત્રમણી ઓપરેશન માટે રાજકોટ મોકલ્‍યા

પોરબંદર તા.૧૭: ભારતીય જનતા પાર્ટી અને આંખ ની હોસ્‍પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્‍ટ (રાજકોટ) ના સંયુક્‍ત ઉપક્રમે સુપર મેગા નિદાન અને  નેત્રમણી કેમ્‍પ નું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૧૨૭  લોકો ના નિદાન કરવામાં આવેલ તમામ લોકોને જમવાની વ્‍યવસ્‍થા કરાવી અને  ૫૮ લોકો ને નેત્રમણી ના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલાયા છે.

આ કેમ્‍પ માં દીપપ્રાગટય  પૂર્વ કેબિનેટ મંત્રી અને પોરબંદર ના પૂર્વધારાસભ્‍ય શ્રી બાબુભાઇ બોખીરિયા , પૂર્વ ધારાસભ્‍ય અને વિધાનસભા ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયા ,  પોરબંદર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા , તથા સમસ્‍ત લુહાર સમાજ , લોહાણા સમાજ  પ્રજાપતિ સમાજ, વાંઝા જ્ઞાતિ સમાજ  ભોંય સમાજ, સોરઠીયા વાણંદ સમાજ  આ સમાજ ના આગેવાનો ના હસ્‍તે કરવામાં આવ્‍યું.

કેમ્‍પ ને સફળ બનાવવા પોરબંદર નગરપાલિકા સદસ્‍ય ધવલભાઈ જોશી  , સાથે પોરબંદર  ભાજપ ના ં ભરતભાઈ રાઠોડ, કાંતિભાઈ ઘેડીયા,  આનંદભાઈ નાંઢા, જગદીશભાઈ ભલસોડ, ચંદુભાઈ જોશી, ધર્મેશભાઈ  જોશી એ બધા જ કાર્યકર્તાઓ ની મેહનત સફળ રહી હતી  આજ ના દાતા ( સૌજન્‍ય ) - સાગર મનુભાઈ મોદી (પ્રમુખશ્રી ં પોરબંદર શહેર યુવા ભાજપ) રહ્યા હતા

(11:14 am IST)