Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

લોધીકા સ્‍વામિનારાયણ મંદિરે શ્રી લક્ષ્મી નારાયણ દેવ મંદિર વડતાલના ગાદીપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજીની પધરામણી

 લોધીકાઃ લોધીકા ગામે આવેલ ઠાકોર સાહેબ જીભા બાપુ, અભયસિંહ બાપુએ બનાવેલ સ્‍વામિનારાયણ મંદિર જયાં ગુણાતીતાનંદ સ્‍વામી, ગોપાળાનંદ સ્‍વામી, બાલમુકુંદ સ્‍વામી સહિતના સંતોના ચરણવિંદથી પ્રવિત્ર થયેલ અને સદગુરુ ગોપાળાનંદ સ્‍વામીએ પધરાવેલ ગણપતિજી અને હનુમાનજીની મૂર્તિ બિરાજમાન છે. એવા પ્રસાદી રૂપ સ્‍વામિનારાયણ મંદિરે શ્રી લક્ષ્મી નારાયણ દેવ મંદિર વડતાલના ગાદીપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી પધારેલ હતા. અને મંદિરમાં આરતી કરી સર્વ સત્‍સંગીઓને આશીર્વચન પાઠવ્‍યા હતા. આ પ્રસંગે તરુિંષ્ટ ગુરુકુળ અમદાવાદ ના બાલસ્‍વામી , રીબડા તરુિંષ્ટ ગુરુકુળના ધર્મ વત્‍સલ સ્‍વામી, ખીરસરા સનાતન આશ્રમના ભક્‍તિપ્રસદ સ્‍વામી સહિતના સંતો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ સલીમ વલોરા-લોધીકા)

(11:15 am IST)