Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

માંડલ મામલતદારને આપના પ્રદેશ કન્વીનર વિરૂધ્ધમાં આવેદન

( દીપક જાની દ્વારા ) હળવદ : તાજેતરમાં થોડા દિવસો અગાઉ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ કન્વીનર ગોપાલ ઈટાલીયા દ્વારા હિન્દુ ધર્મની લાગણીને દુભાય તેવા સત્યનારાયણ કથા અને ભાગવત કથાઓ જેવી પ્રવૃત્તિઓને ફાલતું ગણાવી હિન્દુ સંસ્કૃતિને નુકશાન થાય અને બદનક્ષી થાય તેવું નિવેદન આપતાં વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો હતો. જેને લઈને સમગ્ર રાજ્યમાં ગોપાલ ઈટાલીયા વિવાદિત ટીપ્પણીઓમાં ફસાયા હતાં અને તેમનો હિન્દુ સમાજ દ્વારા વિરોધ પણ કરાયો હતો જેને લઈને અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી જેના વિરોધમાં ૬પ જેટલાં લોકોની સહીવાળું આવેદનપત્ર માંડલ મામલતદારને અપાયું હતું હાલ કોવિડ ગાઈડલાઈન મુજબ મામલતદાર કચેરીમાં ટોળું એકઠું ન કરતાં માત્ર જુજ વ્યકિતઓ દ્વારા મામલતદાર કચેરી સુધી પહોંચી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હિન્દુ ધર્મની આસ્થાને ખંડીત કરનાર નિવેદન કરતાં આપના કન્વીનરને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી હતી.

(11:37 am IST)