Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જુનાગઢના પંચઅગ્નિ અખાડા ખાતે સાંજે પૂ.રમેશભાઇ ઓઝા-પૂ.મુકતાનંદ બાપુ અને રામભાઇ મોકરીયાનું સન્માન

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૭: જુનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલ શ્રી પંચઅગ્નિ અખાડા ખાતે આજે સાંજે પ કલાકથી ૭ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કોરોનાના કપરા કાળમા લોકોને મદદરૂપ થનાર પૂ.ભાઇશ્રી  રમેશભાઇ ઓઝા પુ.મુકતાનંદબાપુ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા પુ.મુકતાનંદબાપુ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાનો સન્માન સમારંભ યોજાનાર છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના કાળમાં ભાગવતાચાર્યપુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા પોરબંદર ખાતે ઓકસીજન પ્લાન્ટ તેમજ હજારો લોકોને અનાજ કીટો વિતરણ કરવામાં આવી રૂ. સવા કરોડના ખર્ચે સેવાકીય કાર્યોનો લોકોને મદદરૂપ થયેલ તેમજ અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પુ.મુકતાનંદ બાપુ દ્વારા પણ કોરોનાના દર્દીઓ માટે જય અંબે હોસ્પીટલમાં ઓકસીજન પ્લાન્ટ મુકાયો છે. ઉપરાંત ગિરનેસડામાં માલધારીઓને સવા કરોડના પતરાઓની સહાય તેમજ વિસાવદર પંથકમાં જરૂરીયાતમંદોને અનાજની કિટોનું વિતરણ કરવામાં આવેલ અને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા દ્વારા પણ કોરોના કાળમાં કરોડો રૂપીયાનું દાન કરી અનાજ વિતરણ સહીત અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવેલ. આમ આ ત્રણેય મહાનુભાવોનું અજિ તેઓની સેવાની નોંધ લઇ સમસ્ત બ્રહ્મસમાજ ફુલડે વધાવશે.

જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષીની આગેવાની હેઠળ જુનાગઢ સમસ્ત બ્રહ્મસમાજ જીલ્લાના પ્રમુખ કે.ડી.પંડયા તથા શહેર પ્રમુખ પ્રફુલ્લભાઇ જોષી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોશી  તથા પરશુરામ ફાઉન્ડેશનના ચેરમેન શૈલેષભાઇ દવે, મહેશભાઇ જોષી અને સમગ્ર ટીમો દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરી મર્યાદીત સંખ્યામાં હાજર રહી  આ મહાનુભવોને ફુલડે વધાવશે.

(12:55 pm IST)