Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ભુગર્ભ ગટરનાં તોતીંગ વેરા સામે 'આપ'ની જેતપુર બંધની ચિમકી

ચિફ ઓફિસરને આવેદન પત્ર પાઠવીને રદ કરવા માંગઃ અન્યથા આંદોલન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૭ :.. શહેરમાં ભુર્ગભ ગટરનો પ્રોજેકટ જયારથી શરૂ થયેલ છે. ત્યારથી કોઇને કોઇ પ્રકારે વિવાદમાં ફસાયેલ રહ્યો છે. શરૂઆતમાં રોડ - રસ્તાનો પ્રશ્ન તો તેનો ટેક્ષનો પ્રશ્ન, મેનટેન્સ ન થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ આવ્યો છે.

ત્રણેક વર્ષ પહેલા ભુર્ગભ ગટર વેરાની વાત આવી ત્યારે વિરોધ નોંધાયો હતો. ફરી આ મધપુડો છંછેડાઓ પાલીકાએ પ્રજા ઉપર ૧ર૦૦૦ કનેકશન આજે અને ૧૦૦૦ મેન્ટેન્સ વેરો ઝીંકી કમરતોડી નાખતા વિરોધનો વંટોળ જાગ્યો છે.

ખરેખર ભુર્ગભ ગટરના કનેકશન દરેક લોકોએ પોતાના સ્વખર્ચે આપેલ હોવા છતાં તેનો ચાર્જ લગાવાયો હોય ગઇકાલે આમ આદમી પાર્ટી દ્વારા ચીફ ઓફીસરને આવેદન પત્ર પાઠવી વેરો રદ કરવા માંગણી કરેલ છે.

આ બાબતે યોગ્ય કરવામાં નહિ આવે તો આંદોલન તેમજ જેતપુર બંધના કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી હતી.

(12:56 pm IST)