Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સાવરકુંડલા - લીલીયા તાલુકામાં ૧પ નાણાપંચના ગ્રામ્યના કામો ચાલુ કરવા માંગણી

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી પ્રતાપભાઇ દુધાતની રજુઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૭ : સાવરકંુડલાના લીલીયાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે મુખ્યમંત્રી વિજયભાઇ  રૂપાણીને પત્ર પાઠવીને સાવરકુંડલા લીલીયા તાલુકાના ૧પ નાણાપંચના ગ્રામ્યના કામો ચાલુ કરવા માંગ કરી છે.

વધુમાં જણાવ્યું છે કે ઘણીવખત મૌખિક રજુઆત સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરવા છતાં કામો ચાલુ કરવામાં આવ્યા નથી અને પ૦ ટકા ટાઇટના કામો કરવા ફરજીયાત નિયમ કરેલ છે. પરંતુ ઘણી ગ્રામ પંચાયતમાં ટાઇટ એટલે કે ગટર, પાણી અને સેનીટેશનના કામો સંપુર્ણ પુર્ણ થયેલ છે. જેથી જે ગ્રામ પંચાયતને ટાઇટ ગ્રાન્ટના કામો પુર્ણ થયેલ હોય તેવું ગ્રામ પંચાયત તરફથી ઠરાવ આપવામાં આવે કે ટાઇટ ગ્રાન્ટના કામ સંપુર્ણ પુર્ણ થયેલ છે. તેવી ગ્રામ પંચાયતને અનટાઇટ (બેજીક)ના કામો વાપરવાની મંજુરી આપવી જરૂરી છે.

૧પ નાણાપંચ ગ્રામ્યના કામો મારા મત વિસતારમાં સાત દિવસમાં કામો ચાલુ કરવામાં નહી આવે તો ગાંધીજી ચિંધીયા માર્ગે તાલુકા પંચાયત સાવરકુંડલા ખાતે સરપંચો સાથે રાખીને ધરણા કરવાની ફરજ પડશે. તેવી ચીમકી પ્રતાપભાઇ દુધાતે આપી છે.

(12:57 pm IST)