Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

પોરબંદરમાં ૩ પશુઓના મોત નીપજાવનાર સગીર કાર ચાલકના પિતા સામે ગુન્હો

સગીર પુત્ર કાર ચલાવવા માટે લાયક ન હોવાનું જાણવા છતા પિતાએ કાર ચલાવાવ આપેલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭ : જડેશ્વર મંદિર પાસે બે દિવસ પહેલા એક સગીર બેફીકરાઇથી કાર ચલાવીને ૩ પશુઓને હડફેટે ચઢાવી ત્રણેય પશુઓના મોત નિપજાવ્યાના બનાવમાં પોલીસે કાર ચાલક સગીરના પિતા સામે ગુન્હો નોંધાયો છે. પોતાના સગીર પુત્ર કાર ચલાવવા યોગ્યતા ધરાવતો ન હોય છતાં પિતાએ સગીર પુત્રને કાર ચલાવવા આપીને બેદરકારી દાખવતા તેની સામે ગુન્હો નોંધાયો છે.

ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા રામભાઇ ભીમાભાઇ ઓડેદરાએ પોતાનો સગીર વયનો પુત્ર કાર ચલાવવા માટે યોગ્યતા ધરાવતો ન હોય તેવું જાણવા છતા પિતાએ સગીર પુત્રને કાર ચલાવવા આપેલ અને બે દિવસ પહેલા સગીર પુત્રએ બેફામ કાર ચલાવીને જડેશ્વર મંદિર પાસે ર વાછરડા અને ૧  કુતરાને હડફેટે લેતા ત્રણેય પશુના મોત નીપજયા હતા. પોલીસે સગીર પુત્રને કાર ચલાવવા આપીને બેદરકારી દાખવેલ  હોય પીએસઆઇ એસ.ઓ. સોલંકીએ સગીરના પિતા રામભાઇ ભીમાભાઇ ઓડેદરા સામે ગુન્હો નોંધ્યો છે.

(12:59 pm IST)