Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

માંગરોળ પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ : ખેડૂતોમાં ખુશીનો માહોલ

વરસાદને કારણે મુરજાતી મૌલાતને જીવતદાન મળ્યું

જૂનાગઢ જિલ્લામાં આજે મેઘમહેર યથાવત રહી છે. જિલ્લાના માંગરોળ પંથકમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માંગરોળમાં ધોધમાર વરસાદથી શરૂઆત થઇ હતી. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. કારણ કે વરસાદને કારણે મુરજાતી મૌલાતને જીવતદાન મળ્યું છે.

(11:18 pm IST)