Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જુનાગઢ ભારતી આશ્રમે ધ્વજવંદન

 જુનાગઢ : ભવનાથ તળેટી સ્થિત શ્રી ભારતી આશ્રમે શ્રી પંચદશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્ય પર્વ પર્વની ઉજવણી કરાઇ હતી. તસ્વીરમાં આશ્રમ ખાતે ધ્વજવંદન કરતા પૂ. ભારતીબાપુ, પૂ. મહાદેવભારતીબાપુ તેમજ શ્રી ભારતીબાપુ વિદ્યાધામના નિકુંજભાઇ રાવલ, હિરેનભાઇ સુખાનંદી તેમજ અલ્પેશ મહેતા સહિતના નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:48 am IST)