Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ગુજરાતનો એક માત્ર અમરેલી જિલ્લો લોકડાઉનના પ૦ દિવસ સુધી કોરોના મુકત રહેલ : ધર્મેન્દ્રસિંહ જાડેજા

અમરેલીમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાયો : કોરોના વોરિયર્સનું સન્માન

અમરેલી, તા. ૧૭ : ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી અને અમરેલીના પ્રભારીમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ રાષ્ટ્રની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પી પ્રજાજનોને ૭૩માં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ તકે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભારીમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, લોકડાઉનના ૫૦ દિવસ સુધી ગુજરાતનો એકમાત્ર અમરેલી જિલ્લો કોરોના મુકત રહ્યો હતો. ૨૨ માર્ચે જનતા કર્ફ્યુ બાદ ભારત સરકારે લોકડાઉન જાહેર કર્યું જેનું અમરેલી જિલ્લામાં એટલું કડક પાલન થયું કે ૧૨ મે સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ જિલ્લામાં ન હતો. અમરેલી જિલ્લા વહીવટી તંત્રની આટલી શ્રેષ્ઠ કામગીરીની સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાઈ છે. આવી ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના તમામ કોરોના વોરિયરને અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આવી કપરી પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાનો એકપણ વિદ્યાર્થી મધ્યાહન ભોજનથી વંચિત ન રહે તે માટે ફૂડ સિકયોરિટી એકટ હેઠળ જિલ્લાની પ્રાથમિક શાળાના ૧.૨૨ લાખ ભુલકાઓને રૂપીયા ૬.૦૪ કરોડની કુકીંગ કોસ્ટની  રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમાં કરાવવામાં આવી તેમજ ૧૧૫૩.૭૭ મેટ્રિક ટન જેટલા દ્યઉં-ચોખાનું વિતરણ કરવામાં આવ્યું. જીલ્લામાં કુલ-૬ર પ્રાથમિક-માધ્યમિક શાળાઓના ઓરડાઓનું રૂપીયા ૪૩ર લાખના ખર્ચે બાંધકામ કરવામાં આવેલ છે.

મંત્રીશ્રી વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આઝાદી પછી પહેલી વાર દ્યુદ્યવાતા દરિયાની વચોવચ આવેલા જાફરાબાદના શિયાળબેટ ટાપુ ઉપર હોડી મારફતે દરિયાઈ માર્ગે અનાજનો જથ્થો પહોંચાડી વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રાજય સરકાર તરફથી અને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કોરોના મહામારીના કારણે કરવામાં આવેલ લોકડાઉનના સમયગાળા દરમિયાન અમરેલી જીલ્લામાં એપ્રિલ માસમા ૩,૦૨,૨૬૨ રેશનકાર્ડ દ્યારકોને ૬૯૨૯ મે.ટન દ્યઉ તથા ૨૭૮૮ મે.ટન ચોખા મળી કુલ ૯૭૧૭ મે.ટન અનાજ, મે માસમાં ૩,૦૦,૨૦૧ રેશનકાર્ડ દ્યારકોને ૭૦૪૫ મે.ટન દ્યઉ તથા ૨૮૩૭ મે.ટન ચોખા મળી કુલ ૯૮૮૨ મે.ટન અનાજ, જૂન માસમાં ૧,૬૯,૧૭૩ રેશનકાર્ડ દ્યારકોને ૫૭૧૬ મે.ટન દ્યઉં તથા ૨૪૩૫ મે.ટન ચોખા મળી કુલ ૮૧૫૧ મે.ટન અનાજ વિનામુલ્યે વિતરણ કરવામાં આવતા કુલ ૯,૪૧,૫૦૭/- રેશનકાર્ડ ધારકોને રર૦૧૮ મે.ટન દ્યઉં તથા ૯૧૮૭ મે.ટન ચોખા મળી કુલ ૩૧ર૦૫ મે.ટન અનાજનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ છે.  આ ઉ૫રાંત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત અમરેલી જીલ્લાના ૧,૭૨,૮૩૨ રેશનકાર્ડ ધારકોના ખાતામાં રકમ રૂ.૧૦૦૦/- લેખે સહાય પેટે રકમ રૂપીયા ૧૭,ર૮,૩ર,૦૦૦/- ની સહાય જમા કરવામાં આવી હતી.

મંત્રીશ્રીએ રાજય સરકાર દ્વારા અમલી આરોગ્ય, શિક્ષણ, બાગાયત, ખેતીવાડી વિભાગ સહિતની વિવિધ યોજનાઓ, ગરીબોના કલ્યાણ માટેની યોજનાકીય વિગતો અને રાજયમાં હાથ ધરવામાં આવેલા સ્વચ્છતાલક્ષી પગલાઓ વિશે માહિતી આપી હતી.

આરોગ્ય, મહેસુલ, પોલીસ જેવા વિભાગના અધિકારી-કર્મચારીઓએ કોરોના વોરિયર બની જે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ અમરેલી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીશ્રીઓને એમના નિવાસસ્થાને જઈને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ સુતરની આંટી પહેરાવી વંદન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રી તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે વીરજીભાઈ ઠુંમર, જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા પોલીસ વડા નિર્લીપ્ત રાય, યુવા અગ્રણી હિરેનભાઈ હિરપરા, કૌશિકભાઈ વેકરીયા, નાયબ વન સંરક્ષક પ્રિયંકા ગેહલોત, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, નિવાસી અધિક કલેકટરશ્રી એ. બી. પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પી. એમ. ડોબરીયા, જિલ્લા આયોજન અધિકારીગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના વિવિધ અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.(

(11:51 am IST)