Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

દ્વારકાધીશ મંદિરે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી

ભાવિકોને મંદિર પરિસર બહારથી તથા ઓનલાઇન દર્શનનો લાભ લીધો

દ્વારકા તા. ૧૭ : કોરોનાની મહામારીના કારણે વહિવટી તંત્ર એ દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ માત્ર પુજારી અને પંડા પરિવારની ઉપસ્થિતિમાં ઉજવણી કરેલ. સૂચના અંતર્ગત યોજાયેલા જન્મોત્સવમાં સદીઓ બાદ પ્રથમ વખત જ ભકતોની ગેરહાજરી વચ્ચે જન્મોત્સવ પુજારા પરિવારે કર્યો હતો.

પોલીસ અને વહિવટી તંત્રની ઉપસ્થિતિમાં માત્ર નજીવી સંખ્યામાં પુજારી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકાવાસીઓએ પણ લાઇવ દર્શન કરી સંતોષ માનવો પડયો હતો અને મંદિર પરિસર બહારથી જ ભકતોએ ભગવાનના દર્શન કરી દંડવત કર્યા હતા. (તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)(

(12:01 pm IST)