Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ભાવનગરમાં બેના મોત અને ૩૮ પોઝિટિવ કેસો

ભાવનગર તા.૧૭ઙ્ગઃ જિલ્લામાઙ્ગ ૩૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૧૧૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૨ પુરૂષ અને ૫  સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ગારીયાધાર ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજા તાલુકાના હબુકવડ ગામ ખાતે ૨, તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના માંડવા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે ૧, તળાજા ખાતે ૨ તેમજ ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે મહાનગરપાલિકા વિસ્તારના ૧૯ અને તાલુકાઓના ૭ એમ કુલ ૨૬ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ સિહોર તાલુકાના ટાણા ગામ અને મહુવા તાલુકાના કરમદીયા ગામ ખાતે રહેતા કોરોના પોઝીટીવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૧૧૦ કેસ પૈકી હાલ ૪૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧,૬૩૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.(

(12:03 pm IST)