Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

મોરબીમાં વધુ ૪૭ કેસો : ૩૪ દર્દીઓ સ્વસ્થ

બે દિવસમાં કોરોનાના વધુ ત્રણ દર્દીના મોત થયા

મોરબી,તા.૧૭ : મોરબી જિલ્લામાં શનિવાર અને રવિવાર દરમિયાન બે દિવસમાં કોરોના ના વધુ ૪૭ કેસો નોંધાયા છે જયારે ત્રણ દર્દીના મોત થયા છે તો વધુ ૩૪ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે

મોરબી જિલ્લામાં શનિવારે નવા કેસોમાં ટંકારના વિરપરમાં ૬૦ પુરૂષ,આલાપ રોડના ૫૧ વર્ષ પુરૂષ, રવાપર રોડ વિજયનગરના ૪૨ પુરૂષ, રવાપર રોડ પ્રાગનગરના ૪૫ પુરૂષ, બોરીચા વાસના ૩૭ મહિલા, દરિયાલાલ શેરીના ૩૫ પુરૂષ, સમાકાંઠે ૩૪ પુરૂષ, રાજપરમાં ૩૫ પુરુષ, પંચવટી સોસાયટી ૨૯ પુરૂષ, વજેપરના ૬૬ પુરૂષ, નાની વાવડી બજરંગ સોસાયટીના ૬૦ પુરૂષ, હળવદના કોયબામાં ૭૫ પુરૂષ, ટંકારાના ગજડી ગામે ૩૮ પુરૂષ, ટંકારામાં ૪૦ મહિલા અને ૪૫ પુરૂષ, ટંકારા હીરાપરમાં ૪૫ પુરૂષ, નસિતપરમાં ૬૫ પુરૂષ, મોરબીના ઉમા રેસીડેન્સીમાં  ૫૩ પરૂષ, શ્રી હરિ પેલેસ ૩૩ પુરુષ, વ્રજ વાટિકા એપાર્ટમેન્ટ ૩૮ પુરૂષ, પોલીસ હેડ કવાર્ટરમાં ૨૯ પુરૂષ, ખાખરાળા માં ૩૮ પુરૂષ, જેપુર ગામે ૩૮ પુરૂષ, વસંત પ્લોટ ૫૩ મહિલા, મારુતિ નંદન એપાર્ટમેન્ટ રવાપર રોડના ૭૦ મહિલા,બોરીચાવાસમાં ૪૮ પુરૂષ, ૨૦ પુરૂષ, ૪૩ મહિલા અને ૨૯ મહિલા, ગોકુલધામ સોસાયટીમાં ૪૮ પુરૂષ, ૪૧ મહિલા અને ૧૭ પુરૂષ, તખ્તસિંહજી રોડ ૪૫ મહિલા, મોટી માધાણી શેરીમાં ૨૯ મહિલા, સિમ્પોલો સીરામીકમાં ૩૦ પુરૂષ, ધર્મસિધ્ધિ સોસાયટી નવા જાંબુડિયામાં ૩૧ પુરૂષ, માળિયાના મેઘપરમાં ૪૦ પુરૂષ, મોરબી કુંભાર શેરીમાં ૬૨ મહિલા, ભકિતનગરમાં ૬૦ પુરુષ અને નહેરૂ ગેટમાં ૪૮ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

 જયારે રવિવારે સાત કેસોમાં શનાળા રોડ પંચવટી સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષ મહિલા, રવાપર રોડ હિરલ પોઈન્ટમાં રહેતા ૫૦ વર્ષ પુરૂષ, રવાપર રેસીડેન્સીમાં ૩૦ વર્ષ પુરૂષ, મોરબી સીટી પોલીસ લાઈન ૩૫ મહિલા, રંગપર ગામે ૭૦ વર્ષ મહિલા, હળવદના કડિયાણા ગામે ૫૭ વર્ષ પુરૂષ અને હળવદના ચરાડવા ગામે ૫૦ વર્ષની મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે

તો બે દિવસમાં કુલ ત્રણ દર્દીના મૃત્યુ થયા છે જયારે બે દિવસમાં કુલ ૩૪ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૬૫૦ થયો છે જેમાં ૨૦૨ એકટીવ કેસ, ૪૦૮ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે ૪૦ દર્દીના મોત થયા છે.

(1:02 pm IST)