Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

બે દિ'માં જુનાગઢ જિલ્લામાં કોરોનાના ૬૧ કેસ : ૧ નું મોત

જુનાગઢ તા. ૧૭ : જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના અટકવાનું નામ લેતો નથી છેલ્લા બે દિવસમાં કોરોના પોઝીટીવ કેસ ૬૧ નોંધાવાની સાથે એક દર્દીનું મોત થયુ છે.

સાતમ આઠમના તહેવારમાં કોરોનાની રફતાર મંદ રહી હતી પરંતુ શનીવારથી પોઝીટીવ કેસમાં ઉછાળો  આવ્યો છે. શની અને રવિવારના બે દિવસમાં જુનાગઢ સીટીમાં ૬૩ અને તાલુકામાં ત્રણ કેસ નોંધાયા છે.

જયારે કેશોદમાં બે ભેસણા-૩, માળીયા-૬, માણાવદર-૩, મેંદરડા-૩, માંગરોળ-ર, વંથલી-૪ અને વિસાવદરમાં બે મળી કુલ ૬૧ પોઝીટીવ કેસ સામે આવ્યા છે.

જયારે કેશોદના એક દર્દીનું મોત નિપજયું હતું જુનાગઢ જિલ્લામાં ગઇકાલની સ્થિતીએ કુલ પોઝીટીવ કેસનીસંખ્યા ૧૩૧૦ થઇ છે.

જુનાગઢ જિલ્લામાં હાલ ર૭૯ સ્થળે પોઝીટીવ કેસને લઇને કન્ટેઇનમેન્ટ ઝોન છે. જેમાં રપ૩૭ ઘરમાં ૯૩૭૦ લોકોનો સમાવેશ થાય છે.(૬.૫૮)

 

(1:14 pm IST)