Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ગાંધીનગરમાં સંતો મહંતોની ધર્મસભા સાથે મહાસંમેલન યોજાયુઃ ગોંડલના મોવિયાના અલ્‍પેશબાપુની ધર્માચાર્ય તરીકે નિમણુંક

ગોંડલઃ ગાંધીનગર ખાતે સંતો મહંતો ની વિશાળ હાજરી વચ્‍ચે ગુજરાત ગુરુ વંદના મંચના નેજા હેઠળ બ્રહમશી ધર્મ સભાનું પ્રથમ સત્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા રાજ્‍યના સંતો મહંતો ના મંત્રીમંડળ ની રચના કરવામાં આવી હતી.ગુજરાત રાજ્‍યના સંતો મહંતાના મંત્રીમંડળમાં ૨૧ પ્રાંતમાં ધર્માચાર્યો તરીકેની નીમણુંક પત્ર આપીને નીમણુંક કરવામાં આવી હતી.૨૧ ધર્માચાર્યો ને પીઠાધીશ્વર પુજય સુર્યાચારીકા કીષ્‍નાનંદજી મહારાજે તેમજ ભારતી આશ્રમ જુનાગઢના મહામંડલેશ્વર ૧૦૦૮ હરીહરાનંદ બાપુ તેમજ ગૌરવશરણદાસજી મહારાજે  ધર્મ દંડ ના નીયમ મુજબ ધર્મ ધ્‍વજની શાક્ષીએ શપથગ્રહણ કરાવ્‍યા હતા. સૌરાષ્‍ટ્ર પ્રાંતના ગોડલના મોવિયાના અલ્‍પેશબાપુની ધર્માચાર્ય તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તેમજ કચ્‍છમાંથી કબરાઉ ના કળષ્‍ણાનંદબાપુ,  અમરેલી વીસ્‍તારમાંથી શાષાી રાધે કળષ્‍ણ બાપુ તેમજ સુરત માંથી લાલગેબી આશ્રમ ના હંસમુની મહારાજની, તેમજ યોગગુરુ પ્રદીપ મહારાજની,  પાલીતાણામાંથી ભારદ્વાજ ગીરી બાપુની નડીયાદમાં મુદીતાનંદજી મહારાજની,  બોટાદમાં જમરાળાના જયદેવ બાપુની કેબીનેટ મંત્રીમંડળમાં નીમણુંક કરવામાં આવી હતી. ૧૮૨ વિધાનસભા મતવિસ્‍તાર વાઇઝ બ્રહમશી સદસ્‍ય સ્‍વરૂપે અનેક સંતોની નીમણુંકની સાથે સાથે રાષ્‍ટ્ર વંદના મંચ ના દરેક વિસ્‍તારમાં એક એક ધર્મ રક્ષકોની પણ નીમણુંક કરવામાં આવી હતી.  રાષ્‍ટ્ર વંદના મંચ ના અધ્‍યક્ષ પુર્વ આઇ.પી.એસ ડી.જી. વણજારા એ જણાવ્‍યું હતું કે સનાતન ધર્મ ને પુનઃ સ્‍થાપિત કરવા માટે તેમજ ભારત દેશ ને હીન્‍દુ રાષ્‍ટ્ર ધોષીત કરવા માટે રાજસતાની સાથે ધર્મસતા હોવી જ જોઈએ. સમગ્ર કાર્યક્રમના આયોજન માં રાષ્‍ટ્ર વંદના મંચના સોરાષ્‍ટ્ર કચ્‍છના પ્રમુખ ગોપાલભાઇ ભુવા તથા અનેક કાર્યકર્તાઓએ મહત્‍વનું યોગદાન આપ્‍યું હતું.(તસવીર- અહેવાલઃ જીતેન્‍દ્ર આચાર્યઃ ગોડલ)

(11:50 am IST)